– રતનપર ગામે મંદિરના બગીચામાં પગલું ભર્યું
– સામાકાંઠે આવેલી સ્કૂલમાં ફરજ બજાવવાની સાથોસાથ ભાગીદારીમાં બાંધકામનું કામ પણ કરતા હતા
રાજકોટ : સાધુ વાસવાણી રોડ પરના પાટીદાર ચોકમાં સિલ્વર આઇકોનમાં રહેતા શિક્ષક રજનીકાંત લાલજીભાઈ કાલરિયા (ઉ.વ.૫૭)એ ઝેરી દવા પી આત્મહત્યા કરી લીધી હતી. આર્થિક સંકડામણને કારણે આ પગલું ભરી લીધાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.